સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ
સંસદ(parliament) :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ
ઇતિહાસ (History) :- ભારતોય સંસદનો ઇતિહાસ જોઈએ તો તેના બાંધકામ ની શરૂઆત 19૨૧માં થઈ હતી અને ૧૯૨૭ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.ભારતીય સંસદની ડિઝાઈન વિદેશી કલાકાર Edwin Lutyens and Herbert Baker એ કરી હતી.સંસદનું ઉદ્ધાટન ૧૮ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ત્યારના વાયસરોય લોર્ડ ઈરવીને કર્યું હતું.
ભારતના બંધારણમાં અનુચ્છેદ ૭૯-૧૨૨ માં સંસદની રચના, સમય અવધી, અધિકારીઓ, પ્રક્રિયા, વિશેષાધિકારો અને સતા વગેરેનો ઉલ્લેખ કરેલો છે.
ભારતીય સંસદ દ્રિગૃહી પ્રકાર ની છે તેમાં લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહો આવેલા હોય છે.લોકસભાને સામાન્ય રીતે નીચલુ ગૃહ અને રાજ્ય સભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે.આમ જોઈએ તો સંસંદના ત્રણ અંગ છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા.રાષ્ટ્રપતિ સંસદ ના કોઈ પણ ગૃહનો સભ્ય હોતો નથી.લોકસભા સંપૂર્ણ રીતે ભારતના લોકોનું પ્રતિનિધિ કરે છે.જયારે રાજ્યસભામાં રાજ્યના અને કેન્દ્ર ના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે.
સૌં પ્રથમ આપણે લોકસભા અને રાજ્યસભાની રચના જોઈ લઈએ.
લોકસભાની રચના(Structure of loksabha ):-
સભ્ય સંખ્યા:-૫૫૨ = ૫૩૦ રાજ્યના પ્રતિનીધીઓં + ૨૦ કેન્દ્ર શાસીત પ્રદેશના પ્રતિનિધિ + ૨ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત એગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યો.
લોકસભાના સભ્યોની ચુંટણી સીધી લોકો દ્વારા થાય છે.૧૮ વર્ષથી મોટી ઉમરનો કોઈ પણ ભારતીય નાગરિક આ ચુંટણીમાં પોતાનો મત આપી શકે છે.લોકસભાની મુદત ૫ વર્ષની હોય છે પરંતુ રાષ્ટ્રપતિ તેને વહેલી બરખાસ્ત કરી શકે છે અથવા તેની મુદતમાં થોડો વધારો કરી શકે છે.
લોકસભાના સભ્ય બનવા માટે ની લાયકાત(Eligibility for become member of loksabha):-
- ૨૫ વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
- અસ્થિર મગજનો, ગુનેગાર, નાદાર, સરકારી કર્મચારીઓ અને વિદેશી આ માટે ઉમેદવારી નોંધાવી શકતો નથી.
- લોકસભાના સભ્યો પોતાના માંથી એક ને ગૃહના પ્રમુખ તરીકે ચુંટે છે.તેને સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે.સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર સભાગૃહનું કામકાજ સંભાળે છે.
સભ્ય સંખ્યા :- ૨૫૦ = ૨૩૮ સભ્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી + ૧૨ રાષ્ટ્રપતિ(president) દ્વારા નામાંકિત
- રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપે થાય છે.
- રાજ્ય સભાના સભ્ય બનવા માટેની લાયકાત :-
- ૩૦ વર્ષથી મોટી ઉમરનો કોઈ પણ નાગરિક રાજ્ય સભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
- અસ્થિર મગજનો, ગુનેગાર, નાદાર, સરકારી કર્મચારીઓ અને વિદેશી આ માટે ઉમેદવારી નોંધાવી શકતો નથી.
- ઉપરાષ્ટ્રપતિ હોદાની રુએ રાજ્ય સભાના અધ્યક્ષ બને છે.
લોકસભા અને રાજ્યસભાની સતાઓ(Power of loksabha & rajyasabha):-
ધારાકીય સતાઓ(Legislative power):-
- સંસદનું મુખ્ય કાર્ય કાયદા ઘડવાનું જ છે.ભારતના બંધારણના માં આપેલી સંયુક્ત યાદી અને સંઘ યાદીના વિષયો પર લોકસભા અને રાજસભા કાયદા ઘડી શકે છે.
- કટોકટીના સમયમાં રાજ્યયાદી સહિતના કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે.
- સંસદમાં નાણાકીય ખરડા સિવાયના કોઈ પણ ખરડા પર જો મતભેદ થાય તો બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે, અને તેમાં બહુમતી થઈ નિર્ણય લેવામા આવે છે.સામાન્ય રીતે લોક્સભાની સભ્ય સંખ્યા વધારે હોવાથી તેનો અભિપ્રાય માન્ય રહે છે.
- નાણાકીય સતામાં બંને ગૃહોમાં અસમાનતા છે.
- નાણાકીય ખરડો સૌં પ્રથમ લોકસભામાં જ રજુ થઈ શકે છે.લોકસભામાં પસાર થયા બાદ તેને રાજસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ ૧૪ દિવસમાં તેને પરત મોકલવાનો હોય છે.રાજયસભા દ્વારા તેમાં કોઈ સુધારા થઈ શકતા નથી.પરંતુ તે માર્ગદર્શન આપી શકે છે.રાજ્યસભા જો ૧૪ દિવસ માં ખરડો પાછો ન મોકલે તો તે અપોઆપ પાસ થય ગયેલો ગણાય છે.
- કેન્દ્રના નાણાપ્રધાન દર વર્ષે સંસદમાં અંદાજપત્ર રજુ કરે છે.સંસદ તેમાં કપ મુકવાનો અને તેને નામાંજુર કરવાનો અધિકાર ધરાવે છે.પરંતુ જો તે નામાંજુર થાય તો પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત થાય છે અને પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.સામાન્ય રીતે સતાધારી પક્ષની સંસદ માં બહુમતી હોવાથી આમ થવું શક્ય નથી.
- કેન્દ્રસરકારના ઓડીટર જનરલ દર વર્ષે સરકારે અગલા વર્ષે કરેલ ખર્ચનો ઓડીટ કરેલો હિસાબ સસંદમાં રજુ કરે છે ત્યારે સંસદ જરૂર જણાય ત્યાં સ્પષ્ટતા માગી શકે છે.
સંસદ કોઈ પણ બંધારણીય કાયદા પર સુધારા કરી શકે છે અને તેને નાબુદ પણ કરી શકે છે.આ માટે સંસદમાં સામાન્ય બહુમતી અને વિશેષ બહુમતી પણ હોય છે.
ન્યાયિક સતા(Judicial power):-
- સંસદ પાસે ન્યાયિક સતા ખુબ જ મર્યાદિત છે.
- તે બંધારણના ઉલ્લંઘન બદલ રાષ્ટ્પતીને મહાભીયોગ દ્વારા દુર કરી શકે છે.
- તે ઉપરાષ્ટ્રપતિને પણ પદ પરથી હટાવી શકે છે.
- તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો જેવા ઉચ્ચ પદાધિકારીઓ ને હટાવવા માટે રાષ્ટ્પતીને વીનંતી કરી શકે છે.
- સંસદીય પધ્ધતિમાં બહુમતી પક્ષનું શાસન હોય છે જેને લીધે સમાન વિચારસરણી ધરાવતા લોકો શાસન કરે છે.જો સંસદમાં રહેલા સભ્યોની વિચારસરણી સમાન ન હોય તો મંત્રીમંડળ એકાગ્રતાથઈ કામ કરી શકતું નથી.
- બહુમતી ન મેળવનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે કાર્ય કરે છે.સંસદીય પધ્ધતિમાં વિરોધ પક્ષ બહુ અગત્યનું કાર્ય કરે છે.તેઓ સરકારની ખામીઓ ની ટીકા કરે છે.જેથી સતાધારી પક્ષ હંમેશા એવા જ કાર્ય કરે છે જેથી તેને વિરોધપક્ષની ટીકાનો સામનો ન કરવો પડે.આ ઉપરાંત વિરોધપક્ષ વિકલ્પીક સરકર તરીકે નું કાર્ય કરે છે. જો કોઈ કારણોસર સતાધારી પક્ષને સત્તા છોડવી પડે તો તેવી પરિસ્થિતિમાં વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ તરીકે આવે છે.
- સંસદીય પદ્ધતિમાં ધારાસભા અને કારોબારી વચ્ચે સંવાદિતતા સ્થપાય છે.કારણકે જે મંત્રીઓ કારોબારી વિભાગના વાડા હોય છે તેઓ ધારાસભ્ય પણ હોય છે.તેથી તેઓ લોકોની સમસ્યાઓને ધારાસભામાં સરળતાથી રજુ કરી શકે છે અને ધારાસભાને તે અંગે માર્ગદર્શન પણ આપી શકે છે.
- સતાધારી પક્ષ લોકો દ્વારા ચુટાયેલ હોવાથી તેઓ લોકોની ઈચ્છા અવગણી શકતા નથી તેઓ લોકોની દરેક માંગ પૂરી કરવાના સમ્પૂર્ણ પ્રયત્નો કરતા હોય છે કારણ કે તેઓંને ફરીથી ચુંટાઈ આવવા માટે લોકોનો વિશ્વાસ કાયમ રાખવો જરૂરી છે આથી લોકોને પોતાની જરૂરિયાત અને અધિકારો મળી રહે છે.
- ભારતમાં જવાબદાર સરકાર છે એટલે કે સરકારને દરેક બાબતનો ધારા સભામાં ખુલાસો આપવો પડે છે. આ ઉપરાંત દરેક ખાતાના મંત્રીઓ ને પણ તેઓની યોજના અને કાર્ય અંગેના સંતોષકારક ખુલાસા આપવા પડે છે અને જો તે નિષ્ફળ જાય તો રાજીનામું આપવું પડે છે.
- ક્યારેક સત્તાધારી પક્ષ પ્રચંડ બહુમતી થઈ જીતો હોય તો લોકશાહીમાં પણ સરમુખત્યાર જેવી સ્થીતી ઉભી થાય છે અને ધારાસભાનો રબ્બર સ્ટેમ્પ તરીકે ઉપયોગ થાય છે.કારણકે સત્તાધારી પક્ષ બહુમતી ધરાવતો હોવાથી તે ધરાસભા પાસે પોતે મનગમતું કામ કઢાવી શકે છે.
- સંસદીય પદ્ધતિની સરકાર માં રાજકીય પક્ષોની દ્રષ્ટિએ વિભાજન થાય છે.સંસદમાં સતાધારી પક્ષ અને વિરોધ પક્ષ હોય છે.જેમાં વિરોધ પક્ષ સરકારના કાર્યો અને યોજનાનો વિરોધ કર્યા કરે છે.જેને લીધે ક્યારેક સંસદમાં યોગ્ય રીતે કાર્ય થતું નથી.આ ઉપરાંત લોકોમાં પણ સતાધારી પક્ષના સમર્થક અને વિરોધ પક્ષના સમર્થક એમ બે ભાગ પડે છે.જેથી દેશની એકતા જોખમાય છે.
- લોકશાહીની સરકાર પક્ષીય સરકાર બને છે.સતાધારી સરકાર લઘુમતી પક્ષોનું ચાલવા દેતી નથી.આ ઉપરાંત એક જ પક્ષના કોઈ સભ્ય પોતાની ઈચ્છા મુજબ ધારા સભામાં કાર્ય કરી શકતો નથી જો તે પક્ષની ઈચ્છા વિરુધ કોઈ કાર્ય કરે તો તેને પોતાની રાજકીય કારકીદી ગુમાવી પડે છે.ટૂંકમાં સંસદીય સરકાર એટલે પક્ષની,પક્ષ માટેની અને પક્ષ દ્વારા ચાલતી સરકાર.
- આ પ્રકારની સરકાર માં ક્યારેક બિનકુશળ લોકો આવી જાય છે.કારણ કે સતાધારી પક્ષ એવા લોકોને જ પોતાના પક્ષમાં રાખે છે જે લોકો પર વધુ વર્ચસ્વ ધરાવતો હોય અને કારણે તેઓ ને વધુ મત મળે છે.તેથી યોગ્ય ન હોય તેવા લોકો શાસનમાં આવી જાય છે.
clean your area and make your country clean.....jay hind.....
thanks for read this article.......
Comments
Post a Comment