સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ
સંસદ(parliament) :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ ઇતિહાસ (History) :- ભારતોય સંસદનો ઇતિહાસ જોઈએ તો તેના બાંધકામ ની શરૂઆત 19૨૧માં થઈ હતી અને ૧૯૨૭ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.ભારતીય સંસદની ડિઝાઈન વિદેશી કલાકાર Edwin Lutyens and Herbert Baker એ કરી હતી.સંસદનું ઉદ્ધાટન ૧૮ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ત્યારના વાયસરોય લોર્ડ ઈરવીને કર્યું હતું. ભારતના બંધારણમાં અનુચ્છેદ ૭૯-૧૨૨ માં સંસદની રચના, સમય અવધી, અધિકારીઓ, પ્રક્રિયા, વિશેષાધિકારો અને સતા વગેરેનો ઉલ્લેખ કરેલો છે. ભારતીય સંસદ દ્રિગૃહી પ્રકાર ની છે તેમાં લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહો આવેલા હોય છે.લોકસભાને સામાન્ય રીતે નીચલુ ગૃહ અને રાજ્ય સભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે.આમ જોઈએ તો સંસંદના ત્રણ અંગ છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા.રાષ્ટ્રપતિ સંસદ ના કોઈ પણ ગૃહનો સભ્ય હોતો નથી.લોકસભા સંપૂર્ણ રીતે ભારતના લોકોનું પ્રતિનિધિ કરે છે.જયારે રાજ્યસભામાં રાજ્યના અને કેન્દ્ર ના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે. સૌં પ્રથમ આપણે લોકસભા અને રાજ્યસભાની રચના જોઈ લઈએ. લોકસભાની રચના(Structure of loksabha ):- સભ્ય સંખ્યા:- ૫૫૨ =